112
સજ્જનનું સુખ 
 1 યહોવાહની સ્તુતિ કરો. 
જે યહોવાહને માન આપે છે, 
જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે. 
 2 તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; 
ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે. 
 3 તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; 
તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે. 
 4 ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; 
તેઓ કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે* 112:4 ઈશ્વર કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે. 
 5 જે માણસ કૃપા રાખીને આપે છે, 
તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે. 
 6 કેમ કે તે કદી પડશે નહિ; 
ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે. 
 7 તે ખરાબ સમાચારથી ગભરાતો નથી; 
તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે. 
 8 તેનું હૃદય શાંત છે, 
તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ. 
 9 તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; 
તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; 
તેને માન સહિત ઊંચો કરવામાં આવશે† 112:9 તે સામર્થી અને મહાન બનશે. 
 10 દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; 
તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; 
દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.