૫૩
૧ મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “ઈશ્વર છે જ નહિ.”
તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે;
ભલું કરનાર કોઈ નથી.
૨ સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ,
તે જોવાને ઈશ્વરે આકાશમાંથી
મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી.
૩ તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે;
ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ.
૪ શું ખોટું કરનારને કંઈ સમજણ નથી?
તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે
પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી.
૫ જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા;
કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે;
તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે.
૬ સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે!
જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે,
ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે.